ભગવદ્ ગીતા ૪.૧૩

ચાતુર્વર્ણ્યં મયા સૃષ્ટં ગુણકર્મવિભાગશ: |
તસ્ય કર્તારમપિ માં વિદ્ધ્યકર્તારમવ્યયમ્ ||૪.૧૩||

ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલાં કર્માનુસાર માનવ સમાજના ચાર વર્ણોની રચના મેં કરી છે. જો કે, હું આ વ્યવસ્થાનો સ્ત્રષ્ટા છું, તેમ છતાં અવિકારી હોવાથી હું અકર્તા છું તેમ તું જાણ.

ભગવદ્ ગીતાના ચોથા ધ્યાયનો આ તેરમો શ્લોક છે, જેમાં ભગવાન અર્જુનને જણાવે છે કે સમાજના ચાર વર્ણો (બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર)ની રચના તેમણે કરી છે. અને માટે જ મેં ક્યાંક કોઈક અન્ય બ્લોગ પરની કોમેન્ટમાં કોઈકને એવું ઘોષિત કરતા જોયું હતું કે, જે કૃષ્ણએ વર્ણાશ્રમ ધર્મ ઉત્પન્ન કર્યો તેને હું ભગવાન નથી માનતો. સાચી વાત છે ભાઈ, તમારે શું કામ એ કૃષ્ણને ભગવાન માનવો પડે કે જે આગળ જતાં એમ પણ કહે છે કે ચારે વેદો, આ સમગ્ર સૃષ્ટિ, પર્વત, જળ, વાયુ, વગેરે બધું જ મેં ઉત્પન્ન કર્યું છે. સવાલ છે આપણા સ્વાર્થીપણાનો. આપણને સારૂં ના લાગે તે આપણે બેધડકપણે જણાવી દેતા હોઈએ છીએ અને તેના પર આપણે આપણો આખરી નિર્ણય પણ સંભળાવી દેતા હોઈએ છીએ, પણ તેની સાથે સાથે સારું શું લાગ્યું તેનો ઉલ્લેખ નહી કરવાનો. હવે આપણે આ જ વ્યક્તિને પુછીએ કે શું તમે માનશો કે કૃષ્ણએ ૯માં અધ્યાયમાં કહેલું “હું આ બ્રહ્માંડનો પિતા, માતા, આશ્રયદાતા તથા પિતામહ છું. હું જ્ઞાનનો વિષય, વિશુદ્ધિકર્તા તથા ૐકાર છું. હું ઋગ્વેદ, સામવેદ તથા યજુર્વેદ પણ છું” એ પણ સાચું છે? તો કદાચ કહી દેશે કે, હોતું હશે? કોઈ કેવી રીતે સૃષ્ટિનો પિતા અને માતા તથા આશ્રયદાતા હોઈ શકે?

હવે ધ્યાનથી જોવાની વાત એ છે કે જે કૃષ્ણ આપણને આજે અન્યાયી લાગતી તે વર્ણપ્રથાના સ્થાપક તરિકે અન્યાયી લાગે છે, તે જ કૃષ્ણ આગળ જઈને એમ પણ જણાવે છે કે હું જ આ સૃષ્ટિનો આશ્રયદાતા પણ છું. જો તે આશ્રયદાતા હોય, માતા-પિતા હોય તો અન્યાયી કેવી રીતે હોઈ શકે? પણ ના, આપણે આ બધા તર્કમાં શું કામ ઉતરીએ? આપણે તો કોઈકે કરેલા એક વિધાનના અંશ પરથી જ તેનું સંપૂર્ણ વ્યક્તિત્વ આંકવાનો ભગિરથ પ્રયાસ કરતા હોઈએ છીએ. આના પહેલાની મારી પોસ્ટ નરસિંહ મહેતા શુદ્ધ ભક્ત નહોતામાં આનું જ એક ઉમદા ઉદાહરણ એક સંપ્રદાયના મહાન સ્થાપક દ્વારા કરવામાં આવેલા વિધાન સ્વરૂપે આપણે જોઈ શકીએ છીએ. જે હોય તે, ભાઈ, દરેકને પોતાનો મત બાંધવાનો અને પોતાના નિર્ણય જાતે લેવાનો પુરેપુરો અધિકાર છે. મને તેની સામે કોઈ વાંધો હોઈ જ ના શકે.

મારો આજનો પ્રયાસ એ વર્ણપ્રથાને સમજવાનો છે. આપણે હંમેશા પૂર્વગ્રહ બાંધીને કોઈપણ વસ્તુને જોવા ટેવાયેલા છીએ, એટલે આ વર્ણપ્રથામાં દોષ જોઈએ તે સ્વાભાવિક છે. હું કાંઈ તે પ્રથાનો હિમાયતી નથી, પણ તેને વખોડવાના મતનો પણ નથી. જે રીતે અડધા ભરેલા પાણીના ગ્લાસને આપણે અડધો ખાલી પણ જોઈએ છીએ અને આપણી માનસિકતા પ્રમાણે તેને અડધો ભરેલો કહેવો કે અડધો ખાલી કહેવો તે નક્કી કરતાં હોઈએ છીએ, તે જ રીતે આ વર્ણપ્રથાને સાચી કે ખોટી, ન્યાયી કે અન્યાયી, વગેરે વગેરે કહેવા ઉતાવળા થઈ જઈએ છીએ. વનસ્પતિશાસ્ત્રનો વિદ્યાર્થી હોવાને નાતે મને વનસ્પતિઓમાં રહેલી ડિવિઝન ઓફ લેબરની વ્યવસ્થા બહુ આકર્ષતી હતી. વનસ્પતિમાં પર્ણનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ કરીને ખોરાક બનાવવાનું, પુષ્પનું કાર્ય છે કિટકોને આકર્ષિને પરાગનયન દ્વારા બીજ બનાવવાનું બીજનું કાર્ય છે નવી પેઢીને જન્મ આપવાનું, મૂળનિં કાર્ય છે જમીનમાંથી પાણી અને પોષકદ્રવ્યો શોષીને અન્ય અંગો સુધી પહોંચાડવાનું, અને તેમ છતાં કોઈ પણ અંગને અન્યાય નથી થતો, આપણને ક્યારેય એવો અહેસાસ પણ નથી થતો કે આ બિચારા પાંદડા, આખો દિવસ તડકામાં પોતે તપે અને તેમના બનાવેલા ખોરાકથી જલ્સા કરે પેલા ફૂલો. કે પછી આ બિચારાં મૂળિયાં પોતે આખી જીંદગી જમીનમાં દટાયેલાં રહે અને હવામાં લીલાલહેર કરે પેલા પાંદડા. ઉલટાનું બધાંજ અંગોએ કરેલા સહિયારા કાર્યને કારણે જ વનસ્પતિ અડિખમ ઉભી રહે છે અને ફૂલેફાલે છે.

ચાર વર્ણની સમાજવ્યવસ્થાનું પણ આવું જ હતું. કેમકે સમાજમાં દરેક વર્ગને પોતપોતાનું કાર્ય વહેંચવી દેવામાં આવ્યું હતું, દરેકનું એકબીજા પર અવલંબન પણ હતું. કુંભાર શૂદ્ર ભલે કહેવાતો, પણ તેના સિવાય અન્ય કોઈ ઘડા બનાવી નહોતું શકતું, અને તેના ઘડા વગર કોઈને પાણી ઠંડુ મળતું નહી. જો ભંગી સફાઈ કરવા ના આવે તો શેરીઓમાં કચરાના ઢગ થઈ જાય અને બિમારીઓ ફેલાઈ જાય, અને માટે જ તેને વારે તહેવારે સીધું આપવાનો પણ રિવાજ હતો. આજે પણ ઝાડુવાળાઓ દિવાળીના નાસ્તા ઘરેઘરેથી ઉઘરાવે છે. તે શું સુચવે છે? તેમનો સમાજમાં સમાવેશ. જો તેમને સમાજમાં સમાવ્યા ના હોત તો આપણે તેમની પાસેથી ગુલામની જેમ કામ કરાવવું અને તેમને કશું ના આપવું તેમ જ માનતા હોત. હોળી પ્રગટાવવા માટે એ જ હરિજન/ભંગીની જરૂર પડે. કંસારો ના હોત તો પિત્તળના કે અન્ય ધાતુઓના વાસણો કોણ ઘડતું હોત? સમાજમાં અસમાનતા ત્યારે દેખાવા લાગી જ્યારે આ ડિવિઝન ઓફ લેબરની પ્રથા નષ્ટ થઈ ગઈ. જ્યારે બ્રાહ્મણ પણ ઘડા ઘડવા માંડ્યો અને લુહાર રાજગાદીએ બેસી ગયો. કોઈપણ કામ હોય તેને કરવા માટે ચોક્કસ આવડતની જરૂર પડે છે. અને આ આવડત શીખવાથી મળે છે. પ્રૌરાણિક કાળમાં દરેક કામો શીખવા માટે આજે હોય છે તેવી કોલેજો અને યુનિવર્સિટીઓની વ્યવસ્થા નહી હોય અને માટે જ આ ટેકનિકલ શિક્ષણ સુલભ થઈ પડે માટે તે આવડત ગળથુથીમાં જ મળી આવે અને જીવનના વિકાસની સાથે સાથે તેનો વિકાસ થતો જાય તેવી વ્યવસ્થા ઘડવામાં આવી હતી.

આપણે વખતો વખત જનિન (જીન્સ) દ્વારા વારસામાં મળતા ગુણોના વખાણ કરીએ છીએ. બ્લોગર મિત્ર ભુપેન્દ્રસિંહજી એ આ જીન્સ પર એક આખી લેખમાળા તૈયાર કરી છે. તેમણે અમુક પોતાના તારણો અને અમુક મનોવૈજ્ઞાનિકોના નિષ્કર્ષો ટાંક્યા છે જેના દ્વારા એ બતાવે છે કે આપને (પુરુષગત કે સ્ત્રીગત) સ્વભાવ પણ આપણા આ જીન્સ દ્વારા મળેલા વારસાને કારણે જ હોય છે. આધુનિક વિજ્ઞાન પણ એ વાત કહે છે કે સ્ત્રીની ગર્ભાવસ્થાના ચોક્કસ ગાળા દરમ્યાન ગર્ભમાં રહેલા બાળકને માતાના વિચારો, તેના દ્વારા જોવામાં આવતા દૃશ્યો અને સાંભળવામાં આવતા અવાજોની અસર થાય છે. હવે જો બ્રાહ્મણના ઘરમાં રોજ સવારસાંજ શાસ્ત્રોના પાઠ થતાં હોય અને સ્ત્રી તે વાતાવરણમાં રહેતી હોય તો ગર્ભમાં ઉછરી રહેલા બાળકમાં આ પાઠોને ગ્રહણ કરવાની ક્ષમતા ગર્ભથી જ વધી ગઈ હોય છે. અને તે જ રીતે આપણા જનિનો પણ આપણી કુશળતા આગલી પેઢીમાં ટ્રાન્સફર કરતાં હોય છે.

એટલે વર્ણપ્રથામાં બધાજ પરિબળો મિશ્ર થઈને બાળકના પુખ્ત થવા સુધીમાંતો તેને પોતે જે કુટુંબમાં કે જે વર્ણમાં જન્મ્યું હોય તે વર્ણ કે કોમના કામનું જ્ઞાન સ્વાભાવિક રીતે જ આવી ગયું હોય. શાળામાં ભણવા ના ગયો હોય પણ શાકવાળાનો છોકરો પોતે હોલસેલમાં લીધેલા શાકનો છુટક ભાવ શું રાખવો, અને ભણ્યો ના હોવા છતાં નોટો અને સિક્કાઓ પારખવાનું અને તેણે વેચેલા ૩૫૦ ગ્રામ રિંગણા માટે તેને આપવામાં આવેલી મોટી નોટના એક્ઝેક્ટ છુટા પૈસા કેટલા પાછા આપવા તેની ગણતરી તેને બખુબી આવડતી હોય છે. આમ, તેનું જે કામ છે તે શિખવા માટે તેણે ક્યાંય નથી જવું પડતું. એવું પણ બની શકે કે ભણેલા ગણેલા માણસને ૩૫૦ ગ્રામ રિંગણ, ૨૫૦ ગ્રામ ભીંડા, ૫ કિલો બટાકા, લીલો મસાલો અને ૭૫૦ ગ્રામ મૂળાના કેટલા પૈસા થયા અને ૧૦૦ રૂપિયામાંથી કેટલા બચશે તે ગણતરી કરવામાં અભણ કાછીયા કરતા બેવડો સમય લાગે. પાણીપુરીની લારી પર એક સાથે ૮ બહેનો પાણીપુરી પિરસતા ભૈયાને કઈ બેને કેટલી ખાધી, કોને તીખી, કોને તીખી-ગળી ભેગી અને કોને ફક્ત કોરી પાણીપુરી આપવાની છે તે બધી જ ખબર રહે છે, જે સંપૂર્ણ ભગવદ્ ગીતા મોઢે બોલી જનાર બ્રાહ્મણને કે આખા રાજ્યનો ભાર સહન કરનાર રાજા કે તેના પ્રધાન માટે લગભગ અશક્ય બાબત બની રહે.

આ ઉપરાંત તે પ્રથાનું કે અન્ય એક જમાપાસુ એ હતું કે તેમાં સ્પર્ધા નહોતી. દરેકને નાનપણથી ખબર હોય કે તેને મોટા બનીને શું બનવાનું છે, તેનો વ્યવસાય અન્ય કોઈ નથી મેળવી લેવાનું, માતે ૧૦માં અને ૧૨માં ધોરણની પરિક્ષાઓમાં ૨૦ કલાક વાંચવાની અને પરિક્ષામાં ૯૩.૭ ટકાથી ઓછા માર્ક આવે તો કાંકરિયામાં ઝંપલાવવા જવાની જરૂર નહોતી પડતી. આજે પણ ભારતમાં પુસ્તકિયા જ્ઞાનની જેટલી ઘેલછા છે તેટલી પશ્ચિમના દેશોમાં નથી. ખાસ કરીને અહીં બ્રિટનમાં તો નથી જ. અહીં હું જે બેંકમાં કામ કરૂં છું તે મલ્ટીનેશનલ બેંક છે, ખાલી લંડનમાં આજે રિસેશન પછી પણ હજુ અમારો ૧૦,૦૦૦નો સ્ટાફ છે, પણ આટલી મોટી બેંકમાં અનેક સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ્સ એવા મળી આવશે કે જે જીસીએસસી કે એ-લેવલ (અનુક્રમે આપણું દસમું અને બારમું) પાસ હોય. અહીં પુસ્તકીયા જ્ઞાન કરતાં વ્યવહારૂ જ્ઞાન અને અનુભવને વધુ પ્રાધાન્ય છે. એવુંજ આપણી વૈદિક સંસ્કૃતિનું હતું. તેમાં પણ કોઈ બાળકને જીવનના પહેલા ૧૦-૧૨ વર્ષ સુધી લગભગ બધુંજ ભણાવ-ભણાવ કરવું અને પછી વિદ્યાર્થી જીવનના છેલ્લા ૩ કે ૫ વર્ષ દરમ્યાન જ વ્યાવસાયિક જ્ઞાન આપવું એવી મૂર્ખામિ ભરેલી માનસિકતા નહોતી. તે સમયે બાળકને જન્મથી જ તેનું વ્યાવસાયિક જ્ઞાન મળતું રહેતું.

હા, જ્યારે સમાજમાં સારો વર્ગ અને હલકો વર્ગ અને સ્પૃશ્ય અને અસ્પૃશ્ય એવા વર્ગો સ્થપાયા ત્યારે આ વર્ણપ્રથા દુષિત થઈ ગઈ. તેવું કેમ થયું અને ક્યારે થયું તે હજું શોધવું બાકી છે. પણ જો આપણી આ વર્ણપ્રથામાંથી અસ્પૃશ્યતા દૂર કરી દઈએ તો ખરેખર તેમાંથી ઘણું શિખવા જેવું છે, મને તો એ આખી પ્રથા એક અલગ દૃષ્ટિકોણથી જોવાનું હંમેશા મન થાય છે. કદાચ મને પ્રતિભાવમાં બ્રાહ્મણ હોવાને નાતે પૂર્વગ્રહયુક્ત દૃષ્ટિકોણથી આ લેખ લખવાનો આરોપ પણ સહન કરવાનો વારો આવે. પન હું ફરી એક વખત સ્પષ્ટતા કરી દઉં કે હું પોતે પણ એ વર્ણપ્રથાનો પ્રખર હિમાયતી નથી, કે નથીતો તેને પુનઃસ્થાપિત કરવા માટેનું જોઈ જનઆંદોલન છેડવાનો વિચાર ધરાવતો. આ પ્રયાસ છે ફક્ત તે પ્રથાને નફરતની દૃષ્ટિએ ન જોતાં તેને જોવાનો અન્ય એક અભિગમ પુરો પાડવાનો. આશા છે કે આ પોસ્ટ વાંચનાર બુદ્ધિજીવીઓ પોતાના પ્રતિભાવો આપશે અને મારો દૃષ્ટિકોણ કેટલો સાચો અને કેટલો ખોટો છે તેની ચર્ચા કરવાનો મોકો મળશે. અસ્તુ!

વિશે ધવલ સુધન્વા વ્યાસ
ખાડિયાવિસ્તારના નાના સુથાર વાડા (ઘણા નાના સુથારવાડાની પોળ પણ કહે છે)નો એક અમદાવાદી ગુજરાતી...

47 Responses to ભગવદ્ ગીતા ૪.૧૩

  1. ચાર વર્ણની વ્યવસ્થામાં ક્યાંય જન્મને આધારે વર્ણ નક્કી કરવામાં નથી આવ્યો – ગુણ અને કર્મને આધારે વર્ણ નક્કી થાય છે. કોઈ ક્ષત્રીય શાંતી, તપ, ક્ષમા, શૌચ, શ્રદ્ધા, નિગ્રહ અને આર્જવ ધરાવતા હોય તો તે બ્રાહ્મણ ગણાય. અને કોઈ બ્રાહ્મણ હાથમાં શસ્ત્રો લઈને અન્યાય સામે લડવા નીકળી પડે તો તે ક્ષત્રીય ગણાય. શૂદ્ર લશ્કરમાં જોડાય તો તે ક્ષત્રીય ગણાય. વૈશ્ય વેપાર કરવાને બદલે સેવા કરવા લાગે તો શૂદ્ર ગણાય.

    વિરાટ સ્વરૂપના વર્ણનમાં શરીરના જુદા જુદા અંગોને બ્રાહ્મણ, ક્ષત્રીય, વૈશ્ય અને શૂદ્ર કહ્યાં છે. શરીરના કોઈ અંગનું મહ્ત્વ ઓછું આંકી ન શકાય બધા જ્યારે સંવાદીતાથી કાર્ય કરે ત્યારે જ શરીર યોગ્ય રીતે કાર્ય કરી શકે.

    દરેકને પોતાનો દૃષ્ટિકોણ હોય અને હોવો જ જોઈએ – આપણે જોઈએ છીએ કે એક જ બાબત પર દરેકની વિચારસરણી જુદી જુદી છે અને તેનું કારણ તેમના સંસ્કારો, પૂર્વગ્રહો, માન્યતાઓ, ઈચ્છાઓ અને અનુભવો છે.

    Like

    • સાચી વાત છે અતુલભાઈ ખુબ સુંદર વાત કહી, ગુણ અને કર્મને આધારે વર્ણ નક્કી થતો. ભગવાન જાતે પણ ગુણકર્મવિભાગશ: દ્વારા એજ કહે છે કે, “ભૌતિક પ્રકૃતિના ત્રણ ગુણો તથા તેમની સાથે સંકળાયેલાં કર્માનુસાર…” પરંતુ, મહદંશે તે પ્રણાલિ જન્મ આધારિત પણ હતી જ. કેમકે એવું જવલ્લેજ બનતું કે કોઈ બ્રાહ્મણ વૈશ્યના કાર્યો કરતો કે કોઈ શૂદ્ર બ્રાહ્મણ બનતો. પરંતુ તેવું બન્યાના દાખલા પણ ઇતિહાસ (પુરાણો)માં છે જ. અને ગુણ તથા કર્મનો આધાર તમે કહ્યું છે તેમ સંસ્કાર પર પણ છે, આ સંસ્કાર મોટેભાગે ઘર અને કુટુંબમાંથી મળે છે, માટે નાનપણથી (એટલે કે જન્મથી) જ જે તે વર્ણમાં રહેવાનું ઘડતર થવા માંડ્યું હોય.

      Like

  2. ધવલભાઈ,
    તમારો ગીતાનો અભ્યાસ સારો છે. તમે જે તારણો પર પહોંચો છો, અને અતુલભાઈ ગુણ-કર્મની વાત કરે છે તે પણ તર્કની દૃષ્ટિએ બરાબર છે, કારણ કે એમ જ હોવું જોઇએ. વર્ણૉ જન્મના આધારે નક્કી ન થવા જોઇએ. પરંતુ તમે ધ્યાન દોર્યું છે જ કે વર્ણૉ જન્મના આધારે જ નક્કી થતા.

    વર્ણ વ્યવસ્થાની વાત કરીએ તો હું એ વાત તરફ ધ્યાન દોરવા માગું છું કે કોઈ પણ સિદ્ધાંત સ્થિર નથી રહી શકતો. એના કારણે એના પર પાછા નથી જઈ શકાતું.હેગલને માનીએ તો એક સિદ્ધાંતના ગર્ભમાં જ એનાં વિરોધી તત્વો રહેલાં હોય છે. સમય જતાં એ વિરોધી તત્વો એટલાં સમર્થ બની જાય છે કે મૂળ સિ્દ્ધાંતને ભરખી જાય છે. એટલે સિદ્ધાંત બહુ જ સારો હોય તો પણ એની નબળાઇઓ પણ શરૂઆતથી જ હોય છે જે દબાયેલી રહે છે. પણ પછી એ નબળાઇઓ જોર પકડે છે અને એક નવો જ સિડ્ઢાંત બનીને વિકસે છે. વર્ણ-વ્યવસ્થા ગુણ-આધારિત હતી એમ માની લઈએ તો પણ ધર્મનું અર્થઘટન કરવાનો અધિકાર એક જ વર્ણના હાથમાં હતો અને શસ્ત્રો એક જ વર્ણના હાથમાં હતાં! આ મોટી નબળાઇ ગુણ-આધારિત વર્ણ વ્યવસ્થાની હતી.
    ગુણની વ્યાખ્યા જે કરે તે જ વર્ણવ્યવસ્થાની પણ વ્યાખ્યા કરે, અને એમાં પોતાનાં સર્વોચ્ચ હિ્તોનું ધ્યાન રાખે જ.એટલે સમાજમાં આવેલાં સ્વાભાવિક પરિવર્તનો સામે ટકી રહેવા માટે વર્ણવ્યવસ્થાને જન્મ આધારિત બનાવી દેવાનું જરૂરી બન્યું હતું.

    સામાજિક પરિવર્તનો ખરેખર તો વૈશ્યો અને શૂદ્રોના કાર્યક્ષેત્રમાં આવ્યાં. આ બન્ને વર્ણૉના હાથમાં આર્થિક વ્ય્વસ્થા હતી. ઉત્પાદન, વિનિમય અને સેવાનાં ક્ષેત્રો એમના હાથમાં હતાં. આર્થિક પ્રવૃત્તિઓના વિકાસ સાથે સમાજમાં પરિવર્તનો આવ્યાં. આની અસર જેમને માત્ર વાંચતાં લખતાં કે લડતાં જ આવડતું હતું, એમના પર પડતી હતી, કારણ કે એમનાં કાર્યોમાં વૈવિધ્યની શક્યતા જ નહોતી.

    આમ સતાનાં સમીકરણો બદલાતાં હતાં એનું પ્રતિબિંબ વર્ણવ્યવસ્થામાં આવેલાં પરિવર્તનોમાં મળે છે.
    ગીતામાં એ કેમ છે? બસ, ધર્મનો અર્થ કરનાર ધર્મગ્રંથોમાં ફેરફાર કરીને જ પોતાની સત્તા ટકાવી શકે. તમે ગીતામાં કૃષ્ણ સૌ પ્ર્રાણીઓના આશ્રયદાતા હોવાનું કહ્યું છે એટલે ઊંચનીચના ભેદને એ કેમ મંજૂર રાખે? સાચું છે. પરંતુ, જે વર્ગને આવો વિરોધાભાસ ઘુસસાડીને લાભ લેવો હતો, એનું તો કામ થઈ ગયું ને?

    Like

    • “સિદ્ધાંત સ્થિર નથી રહી શકતો.” ચોક્કસ, સંપૂર્ણ સહમત.

      હવે વાત કરીએ તો એક જ વર્ણના હાથમાં કશું હોવા પર. તો આપણે આજના પરિપ્રેક્ષ્યમાં આ વાત જોઈએ તો, શું આજે પણ એવું નથી? શું દરેક વ્યક્તિ યુદ્ધ કરવા સક્ષમ છે? શું દરેક વ્યક્તિ શિક્ષણ આપવા સક્ષમ છે? આજના સમાજમાં આપણા સંસદ સભ્યો પોતાના લાભ માટે મળતાં ભથ્થાઓ વધારવા માટે શું જનતાને પુછવા જાય છે? લોકપાલ જેવા કાયદાથી પોતે લેપાય નહી તે માટે તેવા કાયદાઓને વર્ષોથી ટાળતા નથી આવ્યાં? તે જ રીતે તે સમયે રાજ્ય કરતો રાજા પોતાના લાભ માટે કાયદાઓનું અને નીતિશાસ્ત્રોનું અર્થઘટન કરતાં જ હતાં. ગઈકાલે જન્ય બ્લૉગ પર વાંચ્યું હતું કે બાબા રામદેવ ભલે રાજકારણમાં પ્રવેશે, તેમને સત્તા ના સોંપી ના શકાય, કેમકે યોગનું શિક્ષણ આપતી વ્યક્તિ કે આયુર્વેદિક દવાઓ વેચતી કંપનીના માલિકને સત્તા કેવી રીતે ચલાવવી તેની જાણકારી ના હોય. પણ હા, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન બન્યા ત્યારે આપણને એવું નહોતું લાગ્યું, કેમ? કેમકે તે રાજકારન ગળથુથીમાં જ લઈને આવ્યા હતાં. રોજે ઘરમાં રાજકારણ જોયું હોય તો પાયલોટની ટ્રેનિંગ લીધી હોવા છતાં તેનામાં દેશનું સંચાલન કરવાની દક્ષતા સહેજે હતી. અને કદાચ તેની માતા કરતા વધુ સારા કાર્યો તેણે ટૂંકા ગાળામાં કર્યા.

      જ્યારે આ વર્ણપ્રથા અમલમાં હતી તે સમયે બધું જ સુપેરે ચાલતું હતું. ધર્મને કે ધર્મ શાસ્ત્રોને કોઈએ બદલ્યા નહી. જો તેમ હોત તો આપણા બધા શાસ્ત્રો બદલાઇ ચુક્યા હોત અને આજે આપને બધે એમ જ વાંચતા હોત કે શૂદ્રોને અડકવું નહી. પણ કોઈ પુરાણ કે શાસ્ત્ર સ્પૃશ્ય-અસ્પૃશ્યની વાત નથી કરતું. હા, ચોક્કસ કોઈક વર્ગે (બહોળી માન્યતા પ્રમાણે બ્રાહ્મણોએ) કોઈ કારણે સમાજમાં આભડછેટ ઇન્ટ્રોડ્યુસ કરી અને તે વકરી ગઈ. પણ જો બ્રાહ્મણોએ જ એ આભડછેટ સમાજમાં આણી હોત તો, ક્ષત્રિયો અને વૈશ્યો હજુ શૂદ્રોને અડવામાં કશું ખોટું ના સમજતા હોત. પણ આ આભછેટની વ્યવસ્થા પાછળ કદાચ સમાજના ફક્ત એક નહી પણ ત્રણે વર્ગોની મહોર હશે જ, નહીતર આટલા બહોળાપ્રમાણમાં તેનો ફેલાવો શક્ય નથી.

      તમારી વાત સાચી છે, સામાજિક પરિવર્તનો ખરેખર તો વૈશ્યો અને શૂદ્રોના કાર્યક્ષેત્રમાં આવ્યાં. ખરેખર સમાજ પર જે કોઈપણ પ્રભાવ પડ્યા તે હંમેશા તેના શાસકને કારણે જ. કેમકે શાસકવર્ગ એક માત્ર એવો વર્ગ હતો જેની પાસે, સત્તા અને ધન બંને હતાં. આ શાસક પક્ષે મહોરા તરિકે બ્રાહ્મણોનો ઉપયોગ કર્યો અને પોતાને મનગમતી વાતો ધર્મના નામે તેમની પાસે કહેવડાવી. અને તે જ વાત ભલે આજે વર્ણપ્રથા અસ્તિત્વમાં નથી તો પણ સત્ય છે. આપને જોઈએ જ છીએ કે ઇતિહાસ કેટલો બદલી નાંખવામાં આવ્યો છે. પ્રેસ પણ એ જ કહે છે જે સત્તાધિશો કે ધનપતિઓ તેમની પાસે કહેવડાવવા માંગે છે. એટલે મારો કહેવાનો અર્થ ફક્ત એટલો જ છે કે એ વર્ણપ્રથાએ ખરેખર કોઇ નુક્સાન કર્યું નહોતું, જે નુક્સાન થયું તે આપણી માનસિકતાને કારણે, લોકોની અજ્ઞાનતાને કારણે. લોકોને જ્ઞાન આપવાનું કાર્ય ફક્ત ધર્મશાસ્ત્રોના રક્ષિતોની પાસે જ નહોતું, સમાજના દરેક વ્યક્તિની પાસે હતું. પ્રજાનું ક્ષેમકુશળ જોવાની ફરજ રાજાની છે, જે દિવસે રાજા તે ફરજ ચુક્યો તે દિવસથી પ્રજાનું અધ:પતન શરૂ થયું. રાજાઓ ભ્રષ્ટ હતાં માટે જ મુસ્લિમો, મુઘલો અને અંગ્રેજો આપણી ઉપર ૧૦૦૦ વર્ષ રાજ કરી ગયાં અને આપણને ભ્રષ્ટ કરી ગયાં. મારૂં ઘણા અંશે માનવું છે કે આ આભડછેટ, અસ્પૃશ્યતા અને ઉચનીચના ભેદભાવો વિદેશી શાસન આવ્યાં પછી થયાં, કેમકે તેના પહેલાના સમાજમાં એનો ક્યાંય ઉલ્લેખ જોવા મળતો નથી. માટે તે બદીઓ માટે આપણે આપણી આ રૂઢીઓને દોષ ના દેવો જોઈએ.

      હું પણ એ બધી બદી રૂપે અસ્તિત્વમાં આવેલી વર્ણપ્રથાનો વિરોધી જ છું, પણ મારો ઉદ્દેશ્ય એ વર્ણપ્રથાના હકારાત્મક પાસાઓ પર પણ નજર નાંખવાનો છે. તમે કહો છો તેમ કોઈ પણ સિદ્ધાંત ગર્ભથી જ વિરોધી પાસા લઈને જન્મે છે, જે આગળ જતાં વધુ દૃઢ બનીને હાવી થઈ જાય છે. તેવા સમયે તે સિદ્ધાંતોને તિલાંજલી આપવીજ યોગ્ય હોય છે. જે આ વર્ણપ્રથામાં પણ થયું. આજે લગભગ સમાજમાંથી તેનું અસ્તિત્વ જતું રહ્યું છે, જ્યાં શિક્ષણ નથી ત્યાં છે, પણ જે રીતે શિક્ષણ વધી રહ્યું છે તે દરે તે ત્યાંથી પણ ખતમ થઈ જશે. ૫૦૦૦ વર્ષ પહેલા શરૂ થયેલી પ્રથા ૧૦૦૦ વર્ષ પહેલા બગડી હોય તો તેને ધડમૂળથી નષ્ટ થતાં ૨૦૦-૩૦૦ વર્ષનો સમય લાગે તે સ્વાભાવિક છે.

      Like

  3. મારો બહુ જુનો એક લેખ છે.વાંચી જવા વિનંતી http://brsinh.wordpress.com/2009/12/18/

    Like

    • વાંચ્યું, ખોટું ના લગાડશો પણ તેમાં તમે પક્ષપાતિ દૃષ્ટિથી ફક્ત અન્ય કોમો લડવા માટે તૈયાર ના થઈ તેમ જ જોયું છે. દોષ તમારો નથી, તમારા ક્ષત્રિય લોહીનો છે, જેને હરહંમેશ લડવા-મારવાની જ વાતો સુઝે છે. તમે એ પ્યાલાને અધડો ખાલી જુઓ છો, પણ તે પ્યાલાને અધડો ભરેલો જોવાનો પ્રયત્ન કર્યો છે? જ્યારે લડવાનું કામ આવતું ત્યારે ક્ષત્રિય પહોંચી જતો, અને વેપાર માટે વૈશ્ય હંમેશા આગળ રહેતો. હવે વિચારો કે બધા જ ક્ષત્રિયો લડવાનું મેલીને વેપલો કરવા બેસી ગયાં હોત તો? કે બધાં વેપારીઓ ભજન કરવા બેસી ગયાં હોત તો? ના ચાલત ને? માટે જ એ ડિવિઝન ઓફ લેબર હતું, અને દરેકની જોબ સિક્યોરિટી હતી એ વર્ણપ્રથાનું સબળ પાસું.

      કૃષ્ણના આવ્યા પછી વર્ણપ્રથા આવી એવું તમે એક વાક્યમાં કહો છો અને પછી તરત કર્ણ અને દ્રોણની વાત કરો છો. કર્ણ અને દ્રોણની આ કથા સુધીમાં કૃષ્ણ ફક્ત મથુરાના કે દ્વારકાના રાજાથી વિશેષ કશું નહોતા. તેમના પ્રભાવથી કે તેમના કહેવાથી ચતુર્વણની વ્યવસ્થા અસ્તિત્વમાં નથી આવી. આ માન્યતાના વિરોધમાં જ મેં લખેલો પહેલો ફકરો વાંચો, જો કૃષ્ણએ કહ્યું કે મેં આ પ્રથા ઉત્પન્ન કરી છે અને આપને એ વાતને સો ટકા સાચી માનીએ તો પછી કૃષ્ણએ સૃષ્ટિ અને વેદો ઉત્પન્ન કર્યાનો દાવો કર્યો છે, તેને પણ સાચા માનીએ છીએ? આ વર્ણપ્રથાનો દોષ કૃષ્ણને માથે મારવાનો શું ફાયદો?

      Like

    • વર્ણ વ્યવસ્થાને કારણે ગુલામી આવી તે વાત માન્યામાં નથી આવતી. મુઠ્ઠીભર અંગ્રેજો આયોજન અને આધુનિક શસ્ત્રોની મદદથી આખા વિશ્વ પર રાજ્ય કરી ગયાં. ગુલામીનું મુખ્ય કારણ અંદરોઅંદરની ફાટફુટ અને અનેક ગણરાજ્યોમાં વિભાજીત ભારત હતુ તે છે. આવડું મોટું ભારત વર્ષ તો લોકશાહી આવ્યાં પછી થયું બાકી પહેલાં તો સમગ્ર ભારત વર્ષ નાના નાના રજવાડાઓમાં વિભાજીત હતું. આ રજવાડાઓ એ જો એકબીજાને મુસ્લિમ આક્રમણ સમયે મદદ કરી હોત તો મુસલમાનો પણ આગળ ન વધી શક્યા હોત – પણ તેમાંથી ઘણાં ખરા અંદરો અંદર લડનારા અને એશ આરામ પસંદ કરનારા હતા પરીણામે મુસલમાનો અને ત્યાર બાદ અંગ્રેજોની ગુલામી ભોગવવી પડી.

      ટુંકમાં ઓછી સંખ્યામાં રાજપુતો હતા અને વધુ મુસ્લિમો હતા તેથી હાર્યા તેમ કહેવા કરતાં કુસંપ અને તત્કાલીન યુદ્ધ કૌશલ્યનો અભાવ તેને માટેના મુખ્ય કારણો ગણી શકાય.

      Like

    • અત્યારે અલ્પસંખ્યક ઈઝરાયેલને જુઓ – શું ઓછી સંખ્યા હોવાને લીધે તેમણે કદી હાર માની છે?

      Like

  4. ના, ગુલામી આ વર્ણપ્રથાને કારણે આવી તેમ નથી કહ્યું. તેથી ઉલટું મારૂં માનવું છે કે આ ગુલામીને કારને વર્ણપ્રથા વિકૃત સ્વરૂપમાં પહોંચી. રાજાઓએ તે સમયે પ્રજાનું ક્ષેમ જોવાને બદલે પોતાના ભોગવિલાસમાં રત રહેવું વધુ યોગ્ય માન્યું અને પોતાની સત્તાના જોરે અને પૈસાની લાલચે પ્રજાને ગેરમાર્ગે દોરી. અને ભારત આથી પણ મોટું સમ્રાટ અશોકના અને ચંદ્રગુપ્તના સમયમાં હતું જ. પણ રાજાઓ અંદરોઅંદરના વિખવાદ અને ભોગવિલાસને કારને ખોખલા થઈ ગયાં અને છેવટે મુઘલો ફાવી ગયા.

    Like

    • રાજ્યના ટુકડા થવાનું અને વિભાજન થવાનું બીજું એક મુખ્ય કારણ ગાદી પરંપરા છે. જેવી રીતે વૈષ્ણવોના મુખીયામાં અયોગ્ય પુત્રને પણ જે તે હવેલીની ગાદી મળે છે તે રીતે રાજાના અયોગ્ય પુત્રોને પણ ગાદી મળતી. વળી એકથી વધારે પુત્રો હોય તો રાજ્ય વિભાજીત થતું. તેને બદલે અત્યારે લોકશાહીમાં છે તેવી પધ્ધતિ અપનાવવામાં આવતી હોત તો અખંડ રાષ્ટ્ર ટકાવી રાખવા સરળ થઈ પડત.

      આજે પણ અંદરો અંદરની ફાટ ફુટ ક્યાં બંધ થઈ છે? કોંગ્રેસ અને ભાજપ કે અન્ય કોઈ પક્ષ, યુ.પી.એ કે એન.ડી.એ કે અન્ય કોઈ ગઠ બંધન આ બધાને પોતાની જ પડી છે ને? દેશની કે પ્રજા જનોની કોને પડી છે? જો પ્રજાજનોની પડી હોય તો નિર્દોષ નાગરીકો પર લાઠીચાર્જ ન થતાં હોત. જો દેશની પડી હોત તો કાળું નાણું વિદેશમાં મુકવા ન ગયા હોત અને તો આવા આંદોલન કરીને હજારો લોકોનો સમય પણ બરબાદ ન કરવો પડતો હોત.

      શું આ રાજકારણીઓ કોઈ એક વર્ણના છે? સામાન્ય રીતે રાજ્ય વ્યવસ્થા ક્ષત્રીયો સંભાળે છે – આ રાજકારણીઓમાં ક્ષત્રીયના કોઈ ગુણો તો છે નહીં. હા જો બધાને કોઈ એક સામાન્ય વર્ણ નીચે લાવવા હોય તો નવા વર્ણ વિકસાવવા પડે – ભ્રષ્ટ વર્ણ અને ભદ્ર વર્ણ. ૯૮% ને ભ્રષ્ટ વર્ણમાં મુકવા પડે.

      Like

      • તો એનો અર્થ એવો થયો કે નહી કે વર્ણપ્રથા એક સમયે જન્મ આધારિત બની ગઈ હતી? ક્ષત્રિય જ રાજ્ય કરે, અને રાજાનો છોકરો જ રાજા બને, તો એ જન્મગત વર્ણપ્રથા ના કહેવાય?

        અને હું પણ એ જ વાત કહું છું કે વર્ણપ્રથાથી નુક્શાન થયું છે તેમ સો ટકા ના કહી શકાય, નુક્શાન અનેક પરિબળો અને ખોટીરીતે અર્થઘટન કરેલી વર્ણપ્રથા કે સમાજવ્યવસ્થાને કારણે થયું. પણ હા, તેના મૂળમાં એ જ વર્ણપ્રથા રહેલી છે, માટે કાંઈક અંશે તેનો દોષ જોઈ શકાય. પણ તેથી તેના ઉજળા પાસાને અવગણી ના શકાય.

        Like

  5. ધવલભાઈ,
    મોટે ભાગે હું તમારી સાથે સંમત જ છું, માત્ર આપણે ત્યાં અસ્પૃશ્યતા અને જન્મ-આધારિત વર્ણવ્યવસ્થા કેમ આવી તેનાં કારણોની ચર્ચા કરી છે. આજે ગુણ-કર્મની દૃષ્ટિએ ચારેય વર્ણૉ એક થવા લાગ્યા છે. તમે ઉદાહરણ આપ્યું છે તે જ લઉં તો બધા લડી ન શકે, બધા ભણાવી ન શકે. બધા દેશમાં આવા ભેદો છે જ. પરંતુ એનો અર્થ એ નથી થતો કે બ્રાહ્મણ તરીકે જન્મેલી વ્યક્તિ લશ્કરમાં જાય જ નહીં.કે ક્ષત્રિય શિક્ષક ન હોય. આ ગુણ-કર્મ થયાં અને એ રીતે તો ભેદ દેખાશે જ પણ એ ભેદ જન્મ આધારિત નથી. ગુણ-કર્મ વ્યક્તિગત છે. શક્ય છે કે ઘરનું જે વાતાવરણ હોય તેને કારણે પુત્ર પિતાના વ્યવસાય તરફ વળે, પરંતુ એ જન્મનું કારણ નથી.
    ભૂપેન્દ્રસિંહભાઈનો લેખ પહેલાં પણ વાંચ્યો છે. એ વખતે પણ મેં લખેલું કે એક સમય સુધી ક્ષત્રિયો લડતા રહ્યા, જીતતા પણ રહ્યા. એના લાભ પણ એમને મળ્યા. (મરે તો સ્વર્ગે જવાની તાલિબાની બાંહેધરી પણ એમને મળી હતી!).
    પરંતુ સમય બદલાયો અને આ વ્યવસ્થાની નબળાઇઓ હતી તે બહાર આવી અને જેમને લડવાનો અધિકાર નહોતો એ લોકો એમના શોષકોને બચાવવા શા માટૅ આગળ આવે?. બધા બેસી રહ્યા – “જાઓ હવે લડો, હવે અમારી શી જરૂર પડી? અમારે તો કોઇકના શાસન હેઠળ જ રહેવાનું છે ને? તમે નહીં તો બીજો કોઈ” આમ આ વર્ણવ્યવસ્થાની નબળાઇએ પોતાનું રૂપ દેખાડ્યું. વૉર ટેકનૉલૉજી બદલાઇ ચૂકી હતી પણ આપણા રાજાઓને એની પરવા જ નહોતી. સવારે લડાઈ શરૂ થાય અને સાંજ સુધીમાં તો દુશ્મનનો કબજો થઈ જાય એવી ઘણી લડાઈઓ છે.ક્ષત્રિયોને પોતાની જન્મદત્ત વીરતા પર એટલો બધો ભરોસો હતો કે ન પૂછો વાત.
    બ્રાહ્મણોની તો વાત જ જવા દો. .એમનું કામ જ રાજાઓને મદદ કરવાનું રહી ગયું હતું.સતાના સાથ વિના એમને કોણ પૂછે એમ હતું?
    પરિણામે દેશ વિભજિત રહ્યો. ગીતા નહીં, મનુસ્મૃતિમાંથી ખ્યાલ આવશે કે જન્મગત વર્ણવ્યવસ્થાએ શું કર્યું અને કેમ જાતિઓ પેદા થઈ. ભૂપેન્દ્રસિંહભાઈ બે લેખ તો આપી ચૂક્યા છે અને કદાચ આગળ એ વાત આવે ખરી. રૂંવાડાં ઊભાં થઈ જાય એવા અત્યાચારો થયા છે.
    હું ફરીથી કહું છું કે કોઈપણ સિદ્ધાંત પોતાના ગર્ભમાં પોતાનો દુશ્મન લઈને આવે છે.ગુણ-કર્મનું સ્થાન જન્મ લેવાનો જ હતો, કારણ કે ધર્મનું અર્થઘટન જે વર્ગના હાથમાં હતું એ નવા સામાજિક પરિપ્રેક્ષ્યમાં નબળો પડવા લાગ્યો હતો.
    એટલે અતુલભાઈ ગુલામી માટે વર્ણવ્યવસ્થામાં કઈં દોષ નથી જોતા પરંતુ એ વ્યવસ્થા નિર્દોષ પણ નથી.આજે આર્થિક ક્ષે્ત્રમાં (અને માત્ર ઉચ્ચ વર્ણૉ માટે) આ વ્યવસ્થા તૂટવા લાગી છે એ સાચું છે પરંતુ હજી આ પ્રક્રિયામાં શૂદ્રોને સામેલ કરવા ઉચ્ચ વર્ણો તૈયાર નથી. મૅટ્રિમોનિયલ વેબસાઇટો આનો મોટૉ પુરાવો છે. બીજા કયા દેશની ભાષામાં ‘આંતરજ્ઞાતીય’ જેવો શબ્દ અથવા વ્યવહાર છે? (intercaste માત્ર એનો અનુવાદ છે, બાકી. હવે તો બ્રિટનમાં રાજકુટુંબના નબીરાઓ પણ કૉમનર સાથે લગ્નો કરતા થયા છે).
    આપણે ત્યાં ઉચ્ચ વર્ણોમાં પણ સામાજિક વ્યવહારમાં આ જન્મ આધારિત વ્યવસ્થા જ ચાલે છે. ગુણ-કર્મની લવચીકતાને દબાવીને આ વ્યવસ્થા વિકસી છે.

    Like

    • સો ટકા સાચી વાત છે. તમારી સાથે સંપૂર્ણ સહમત થાઉં છું. હા, એ પ્રથાનો દોષતો હતો જ. તે ગુણ-કર્મની લવચીકતાને ભૂલવીને જે રીતે વિકસી તેણે જ તે પ્રથાની ઘોર ખોદી. ફરી ફરીને કહું છું કે મારો પ્રયાસ ફક્ત તેના ઉજળા પાસા ઉજાગર કરવાનો જ છે.

      તમે નહી માનો પણ, મેં તમરા જવાબમાં લખેલા સંદેશાની છેલ્લી લીટી લખી હતી કે, આજની જ્ઞાતિપ્રથા પણ આ વર્ણાશ્રમ ધર્મમાંથી ઉતરી આવી છે તેમ કહી શકીએ, પણ તેના પર ચર્ચા કરવી એ એક મહાભારત લખવા સમાન છે, માટે આપણે તેને અહીં નહી ચર્ચીએ. પણ પછી થયું કે મારે હાથેકરીને આ ચર્ચામાં નવો મુદ્દો નથી ઉમેરવો અને તે લીટી દૂર કરી. પણ લાગે છે કે આપણે બંને એક જ વિચારની કેડીએ ચાલીએ છીએ, આવું પહેલા પણ થઈ ચુક્યું છે, અને માટે જ તમે પણ એ જ મુદ્દો લખ્યો છે. “સામાજિક વ્યવહારમાં આ જન્મ આધારિત વ્યવસ્થા જ ચાલે છે” કહીને. તે પ્રથાને ખરેખર વર્ણાશ્રમ ધર્મ સાથે જોડવી કે નહી તે સંશય છે. અને આનંદ એ વાતનો છે કે તમે પણ મારી સાથે સહમત થાવ છો કે બ્રાહ્મણો ફક્ત રાજાઓના હાથની કઠપુતળી બની ગયાં હતાં. જે આજે પણ છે, ઇતિહાસકારો, વિવેચકો, પ્રેસ, શિક્ષણવિદો, શૈક્ષણિકસંસ્થાઓ, આ બધા જ પૌરાણિક બ્રાહ્મણના રૂપો છે, અને સરકાર અને રાજકારણીઓ તે સમયના ક્ષત્રિય રાજાઓ છે. આધુનિક પરિપ્રેક્ષ્યમાં પણ ફક્ત ભારતમાં નહી, સમગ્ર દુનિયામાં આ નવી વર્ણવ્યવસ્થા અસ્તિત્વમાં છે જ જેમાં આધુનિક બ્રાહ્મણ આધુનિક ક્ષત્રિયના તાબે થઈને પોતાના ધર્મથી વિચલિત થઈ પ્રજાને અંધકાર તરફ લઈ જાય છે.

      Like

  6. ધવલભાઈ મેં ક્યાંક એવું વાંચેલ છે કે ભગવાને તેમના મુખમાંથી બ્રાહ્મણને જન્મ આપ્યો , હ્રદયમાંથી વૈશ્ય , બાજુઓમાંથી ક્ષત્રિય અને પગમાંથી શુદ્રને જન્મ આપ્યો છે , તે પ્રમાણે વર્ણ વ્યવસ્થા ગોઠવાઈ છે . આ અધિકૃત માહિતી નથી પણ મને તમારી પોસ્ટ વાંચતા વાંચતા યાદ આવ્યું કે આવું મેં વાંચેલ છે તે અહીં જણાવું છુ .

    Like

  7. Sorry ! મોડો પડ્યો, કારણ લેખ છેક આજે, અનાયાસે, ધ્યાને ચઢ્યો.
    ધવલભાઇ, મેં આપના બ્લોગને સબસ્ક્રાઈબ કર્યો તો છે પણ આપના નવા લેખનો મેઇલ હંમેશ સ્પામ ફીલ્ટરમાં જ જાય છે. હું કારણ તો શોધી કાઢીશ, પરંતુ થોડો સમય, શક્ય બને તો, નવો લેખ મુકો તે જાણ કરતો મેઇલ (મારા g mail પર) કરી આપશો તો આભારી રહીશ.

    લેખ અને ચર્ચાઓ દ્વારા બહુ સરસ, નાવિન્યતાસભર, વિચારો જાણવા મળ્યા. આભાર.

    Like

  8. ઇઝરાયેલ અલ્પ સંખ્યક છે સાચી વાત છે.એક માનવ આજે અણુબોમ્બ નાખી લાખોની હત્યા કરી શકે છે.એક માનવ આજે મશીનગન હાથમાં લઇ સેંકડોની હત્યા કરી શકે છે.ખાલી હાથમાં તલવાર અને ભાલા લઈને લડવાનું હોય ત્યારે પણ અલ્પ સંખ્યાકોએ જીતવું જ રહ્યું.સાચી વાત છે બ્રાહ્મણોનો કોઈ દોષ જ નહોતો.બધો વાંક ક્ષત્રિયોનો જ હતો.ધન્યવાદ.

    Like

    • એક માનવ ધારે તો શું શું કરી શેકે તે માત્ર વિનાશક રીતે જ નહિં પણ સર્જનાત્મક રીતે પણ દર્શાવી શકાય. એક રવિન્દ્રનાથ ટાગોર અઢળક સર્જન કરી શકે, એક રંમણ મહર્ષિ અત્માનુભુતિના સર્વોચ્ચ શિખરો સર કરી શકે, એક રામકૃષ્ણ પરમહંસ સર્વ ધર્મ વચ્ચે સંવાદિતાના સિદ્ધાંતો પ્રસ્થાપિત કરી શકે, એક શિવાજી મોગલોની સલ્તનતને હંફાવી શકે, એક હુસેન કલાને આગવી રીતે દર્શાવી શકે. એક ફાધર વાલેસ ઉતમ ફાધર તરીકેનું જિવંત દૃષ્ટાંત પુરુ પાડી શકે.

      આપણે હમ્મેશા બીજાઓ પર દોષારોપણ કરવા ઈચ્છીએ છીએ પોતાની જાત પર કદી નહિં. બ્રાહ્મણો પણ ક્યાં દુધે ધોયેલા છે? એક દિવસ સવાર સાંજ સંધ્યા ન કરે તે બ્રાહ્મણ – બ્રાહ્મણ નથી રહેતો. ક્યો બ્રાહ્મણ આજે નિયમિત કે અનિયમિત સંધ્યા કરે છે? અરે સંધ્યા એટલે શું તેની યે કોને ખબર છે? વાંધો કોઈ વ્યક્તિ કે જાતી સામે નથી – વાંધો વાતને ખોટી રીતે રજૂ કરવા સામે છે.

      Like

    • ના ભૂપેન્દ્રભાઈ, તમે ખોટું સમજ્યા છો. વાંક એકલા ક્ષત્રિયોનો નહોતો. પણ સાથે સાથે એ પણ સ્વિકારવું પડશે કે વાંક એકલા બ્રાહ્મણોનો પણ નહોતો. કેમકે સમાજમાં ફક્ત બ્રાહ્મણ, ક્ષત્રિય અને શૂદ્ર એમ ત્રણ જ વર્ણ નહોતી. ચોથી વર્ણ હતી વૈશ્ય. ક્યાંકને ક્યાંક, કોઈકને કોઈક સ્વરૂપે તેમણે પણ આગળ જતા વિકૃત સ્વરૂપ ધારણ કરનારી અને દમનકારી બનનારી આ સુપેરે ચાલતી અને શુદ્ધ સ્વરૂપે રચાયેલી વર્ણવ્યવસ્થાને બગાડવાના યજ્ઞમાં ઘી હોમવાનું ચાલું જ રાખ્યું. જો સમાજના બધાં જ વર્ણોનો સાથ ના હોત તો એવું થયું હોત કે બ્રાહ્મણ અને ક્ષત્રિયો દ્વારા જ શૂદ્રોને અસ્પૃશ્ય ગણાયા હોત, વૈશ્યો હજુ તેમની સાથે ભાઈ-ભાઈ જેવું વર્તન કરતાં હોત. અને કદાચ શૂદ્રો સાથે રોટી-બેટીનો વ્યવહાર રાખનારા વૈશ્યોને પણ બ્રાહ્મણો અને ક્ષત્રિયોએ અસ્પૃશ્ય ગણાવ્યાં હોત. એનો અર્થ એ કે આવી મહાન વર્ણપ્રથાને વિકૃત કરવાનો દોષ કોઈ એક વર્ણને દેવો તદ્દન અનુચિત છે એવું મારું માનવું છે.

      એક માનવ એટમ બોમ્બ નાખીને કે મશીનગન હાથમાં લઈને સેંકડો કે સહસ્ત્રોની હત્યા કરે છે, તે તેમના વિકૃત માનસ અને ક્ષતિયુક્ત કેળવણીનું પરિણામ છે. તેની સાથે આપણી ભારતીય સંસ્કૃતિના ક્ષત્રિયધર્મને કોઈ કાળે સરખાવી ના શકાય. આવા વિકૃત માનસવાળા પાસેથી ફક્ત એક જ વાત શિખવાની હોય કે એ લોકો જે કરે છે તે આપણે કદી ના કરવું. આપણા શાસ્ત્રોમાં પણ બ્રહ્માસ્ત્ર, વરુણાસ્ત્ર વગેરે અસ્ત્રોનો ઉલ્લેખ છે. એક માન્યતા પ્રમાણે અસ્ત્રો એટલે મિસાઇલ્સ કે બોમ્બ હોવા જોઈએ. હવે જુઓ તો એ સમયના ક્ષત્રિયો પાસે પણ એક માણસ હજારોને હણી શકે તેવા અસ્ત્રો હતા અને તેનો ઉપયોગ પણ થતો, પણ તે ફક્ત દુશ્મન સૈન્ય ઉપર, આમ જનતા ઉપર નહી. એટલો ફરક છે આપણા ક્ષત્રિયો અને આ તાલિબાનીઓ વચ્ચે.

      Like

  9. parmar mayank says:

    Mr.Dhaval tamaru kehvu pan kai anshe sachu j che jo hu aem mani lav ke krishna na samay ma hinatani ladni n hati ane jo ae fakt samaj ni sagvad mate ni sysytem hati to pachi ae vakhat na brahmano ane rajputo ae karna no oppose kem karyo hase ae mane nathi samjatu bhai ?

    tame aem kaho cho ke ae jamana ma darek mate alg kam hatu jethi samajik problem na htay to sachi vat che tamari,,,tame aem pan kahyu ke batha ladai karvama maher n hata atle fakt rajput j aenu gyan leto,,,to su karna ma atli ability nti ke ae arjun ne haravi sake ?

    kem shree krishna ae karna jode chek suthi kapat karine arjun ne jitvano chance apyo…

    ane ek vat mara man ma hamesha kuche che ke fakt bharat ma j caste system ni jarur hati ?

    aevu ntu ke bija des ma nati atle aje pachad che…
    aje tame juo england ….gujrat jetlu j che ….to kem ae des ma avi pratha nati to pan aemna batha loko bathi j vat ma mokhare che …..

    kem tya amuk perticular loko ladvanu kam nata karta bhai,,,,

    Like

    • આભાર મયંકભાઈ કે તમે મારી સાથે એક ક્ષણ માટે તો સહમત થયાં. તમે કહો છો તેમ બ્રાહ્મણોએ અને ક્ષત્રિયોએ કર્ણનો વિરોધ કર્યો, પણ એ વિરોધ કેમ કર્યો હતો? શું તે અછૂત હતો? તેને ક્યાંય અછૂત વર્ણવ્યો છે? ના! અને સાથે સાથે એ પણ ના ભુલવું જોઈએ કે કૌરવો પણ એ ક્ષત્રિયો જ હતાં જેમણે કર્ણને તેમના પક્ષે યુદ્ધમાં રાખ્યો. એટલે સમાજમાં તે સમયે પણ કર્મને આધારે જ વર્ણ હતી. માટે જ કર્ણને રાજ્ય પણ આપીને ક્ષત્રિયનો દરજ્જો આપવામાં આવ્યો હતો. યાદ રહે કે એ બધું કરતી વખતે કોઈને પણ (કૃષ્ણ સિવાય) તેનું મૂળ ક્ષત્રિય છે એવી ખબર નહોતી. જો ખરેખર કર્ણ શૂદ્ર હોવાને કારણે તેનો વિરોધ બધાંજ ક્ષત્રિયો અને બ્રાહ્મણોએ કર્યો હોત તો તે કદી રાજા બની શક્યો જ ના હોત અને કદી અન્ય ક્ષત્રિયોએ તેને પોતાના પક્ષે યુદ્ધમાં ઉભો ના રાખ્યો હોત. બીજી વાત કે કયા બ્રાહ્મણોએ તેનો વિરોધ કર્યો હતો તે મને યાદ નથી આવતું. મેં મહાભારત ક્યારેય વાંચ્યું નથી, શ્રીમદ્ ભાગવત્ વાંચ્યું છે, પણ તેમાં આવું વાંચ્યું હોય તેમ યાદ નથી. અને જો તેમ હોય તો પણ મેં ઉપર જણાવ્યું તે મુજબ તેને રાજા બનાવીને એ સાબિત કર્યું છે કે તે સમયે આ પ્રથા કર્મ આધારિત હતી, જન્મ આધારિત નહી. હા કર્મ મોટેભાગે જન્મજાત આવતાં તે વાત જુદી છે. પણ કર્ણ જેવા અપવાદોથી તે સિદ્ધ થાય છે કે વર્ણપ્રથા શુદ્ધ હતી જે ઘણા લાંબે ગાળે દુષિત થઈ.

      તમે કહો છો તેમ સો ટકા કર્ણમાં એટલી એબિલિટી હતી કે તે અર્જુનને હરાવી શકે. અને એવી ક્ષમતા સમગ્ર મહાભારતના યુદ્ધ દરમ્યાન સ્વયં કૃષ્ણ પછી ફક્ત એક કર્ણ પાસે જ હતી. પણ ભગવાન કૃષ્ણએ છેક સુધી કપટ કરીને અર્જુનને જીતવાનો મોકો આપ્યો તે વાત કાંઈ સમજમાં ના આવી. શું કપટ કર્યું કૃષ્ણએ કર્ણ સાથે? કોઈ નહી! અને જો તમને યાદ ના હોય તો એક વાર ફરી જણાવી દઉં કે એ ફક્ત કૃષ્ણ જ હતાં જેને ખબર હતી કે કર્ણ દાસીપૂત્ર કે શૂદ્ર નહી પણ કુંતિપુત્ર ક્ષત્રિય હતો. અને યુદ્ધમાં કર્ણએ એક-એક કરીને સહુ પાંડવોને હરાવી દીધા હતાં, તેણે કુંતિને વચન આપ્યું હતું કે તે અર્જુન સિવાય કોઈને નહી મારે માટે તેમને બક્ષી દીધાં. ભગવાને કર્ણ સાથે કોઈ કપટ ક્યારેય કર્યું નથી.

      એવું ના માનશો કે ફક્ત ભારતમાં જ જ્ઞાતિ પ્રથા છે. ઘણા દેશોમાં આવી જ્ઞાતિ પ્રથા હતી જે કાળક્રમે નાશ પામી, પણ આપણા દેશમાં હજુ સુધી યેનકેન પ્રકારે તે અસ્તિત્વમાં છે તે આપણું દુર્ભાગ્ય છે. પણ તેની પાછળ અનેક કારણો છે. સૌથી મોટું કારણ આપણી ભારતની જનતા. એમાં સહુનો સમાવેશ થઈ જાય છે, કહેવાતા દલિતોનો અને કહેવાતા ઉચી જ્ઞાતિના લોકોનો પણ.

      અને ભાઈ, મહેરબાની કરીને ઈંગ્લેન્ડની સરખામણી કરશો જ નહી. તેમાં આજે આ પ્રથા નથી પણ તે એ જ ઈંગ્લેન્ડ/સ્કોટ્લેન્ડના અંગ્રેજો હતાં જે આપણા દેશમાં આવી બધી પ્રથાઓના મૂળીયા વધુ મજબૂત કરી ગયાં. ત્યાં પણ મુક જ લોકો લડવાનું કામ કરતાં હતાં. ત્યાં આપણા જેવી જ પણ થોડી અલગ પ્રકારની જ્ઞાતિ પ્રથા હતી, અને કદાચ હજુ છે. ત્યાં ધનિક અને ગરિબ એવા બે વર્ગો હતાં. ભારતમાં રાજા રંકનું પણ ધ્યાન રાખતો અને માન આપતો, પણ ત્યાં ઈંગ્લેન્ડમાં ગરિબની સામે અમિર થુંકતો પણ નહી. એવી ખરાબ હાલત હતી એ સમાજની. લેબર સરકારે ધીમે-ધીમે ત્યાંની આમ જનતાને વધુને વધુ સત્તાઓ આપી તેમનું લેવલ ઉંચું લાવવાનું કામ કર્યું. આજે પણ એ દેશમાં કડિયા, પ્લંબર, સુથાર, વગેરે જેવા વ્યાવસાયિકો સૌથી વધારે કમાય છે, તે ફક્ત એ સરકારના સમાજમાં સમાનતા લાવવાના પ્રયત્નોને કારણે.

      તમે મારો ઉપરનો લેખ ધ્યાનથી વાંચશો તો મેં લખ્યું જ છે કે છૂત-અછૂતની વાતો અને ઉચ-નીચની વાતો આપણા ગુલામીના દિવસો પછી જ આવી, ત્યાં સુધી નહોતી.

      Like

      • parmar mayank says:

        pehla to thnax ke mari vat no sarash rite jawab apava mate ,,,,
        pan bhai mane ae nathi samjatu ke jo apni atli saras system hati to ae kharab kone kari hase ?

        jo kari hase to aema aeno faydo thay aena mate j kari hase,,,,tamraru su kehvu che?

        ane tame kaho cho ke british loko avya pachi temne caste system ne veg apyo to ae vishe hu tamari sathe sahmat nay thav,,aena mate ek vat kahu

        britisho avya ae pehla bharat ma manushmruti na kayda chalta hata ae mujab ,,,tame bhupendra sir na blog ma vanchu j hase ke manushmruti ae fakt koi god no asesh janato nathi pan fakt potano swarth j atave che,,,,ok to pehla manushmruti na kayda chalta hata te mujab brahman ne kadi pan koi guna mate fanshi thati nay ,,,,

        britisho avya ane temne nand dev namna ek brahman ne fanshi api atle brehmano ae aeno opose karyo…ok to ana parthi ek vat to naki j che ke britisho manushmruti na kayda manva taiyar na hata…

        biji vat ke aemne darek caste ni study no athikar apyo…..je pehla na hato atle j to Dr..Abmedkar na father bhanya ane subedar thaya ane potana dikara ne bhanavyo aethi to Dr.Ambedkar M.A.,PH.D.,D.Sc.,LL.D.,D.LITT.,BARRISTER-AT-LAW suthi bhanya ae to ae jamanama kadach savarno pan nathi bhanya to ana parthi ae to naki j che ke britisho ae caste system ne todvama apni madad kari che ,,temaj sati-pratha,dahej pan aemna karne j dur thaya che,,,,

        te loko ae bhale bharat loko ne gulab banavya pan apna samaj na kurivajo ne hatavama te loko ae help kari j che,,,,atle have apne aem jo na j kahi sakie ke ae loko ae caste system ne veg apyo hase,,,,

        ane biji vat kahu ke bharat ma jyare peshwa ao nu raj hatu tyare sudra loko ae potana gala ae matlu rakhvu padtu ane pachad jadu …jethi temna thi pruthvi achut na htay ae to kadach tamne khabar j hase…to ana parthi apne aem kahi to na sakie ke raja garibo nu dhyan rakhto hase….

        Like

        • એકદમ સાચી વાત તમારી. બ્રિટિશરો મહાન હતાં. આપણે એક કામ કરીએ, પાછા એમને બોલાવીએ અને આપણું ભારત અમેનએ સોંપી દઈએ, કેમકે તેમનાથી મહાન તો બીજું કોઈ છે જ નહી. સલામ છે તમારી માન્યતાઓને અને સલામ છે તમારી વિચારસરણીને. જેટલા મહાન બ્રિટિશરો હતા તેટલાજ મહાન તમારા વિચારો છે અને તેથી પણ વધુ મહાન તમારી માન્યતાઓ છે. હું તમને કશું પણ કહું તે સૂરજને દીપક બતાવવા બરાબર થશે. માટે માફ કરજો, હું તમારી સામે તર્ક કરવા માટે અક્ષમ છું.

          Like

  10. parmar mayank says:

    dhaval bhai me fakt sachi vat j kari che ,,,ama atlu akadavanu kya nathi avtu ,,,mari ek pan vat khoti hoy to mane kaho..

    Like

    • અરે મયંકભાઈ, હું અકડાતો ક્યારેય નથી, મારામાં અક્કડ છે જ નહી તો ક્યાંથી અકડાઉં? અને હા, તમારી એકેય વાત ખોટી છે જ નહી, માટે જ તો મેં તમને સલામ કરી છે. તમને એવું કેમ લાગે છે કે મને તમારી વાત ખોટી લાગી?

      Like

      • parmar mayank says:

        bhai tont marvanu banth karo tamne na gamtu hoy to tamara blog par comment karvanu banth kari dav …

        ane vicharo ke mari vat khoti che british loko vishe ni,,,,mari vat sambhdo jo britisho ae sudra ne bhanvanu allow na karyu hoy to ambedkar na pita subedar kyathi thaya ane ambedkar ni degree ni tamne khabar j che

        Like

        • મોટા સાહેબ, મને તમારી કોમેન્ટ્સ પસંદ ના હોત તો તેને અપ્રુવ જ ના થવા દેતો હોત. હા, જો તમને મારા જવાબોથી દુ:ખ થતું હોય તો તમે અવશ્ય કોમેન્ટ કરવાનું બંધ કરી શકો છો. પણ હું તો એમ માનું છું કે ખુલ્લા મને ચર્ચા કરવાથી જ્ઞાન વધે. અંગ્રેજો જો એટલા જ મહાન હતાં, કોઈ જાતના ભેદભાવમાં નહોતા માનતા તો પછી ગોરા-કાળા વચ્ચે કેમ ભેદભાવ હતા? એટલા હિતેચ્છુ હતા આપણા દેશના અને આપણા સમાજના તો આપણી ઉપર દમન કરીને કેમ આટલા વર્ષ રાજ કર્યું? કોને મહાન ગણાવો છો?

          Like

      • parmar mayank says:

        • વર્ણવ્યવસ્થા કર્મ આધારિત હતી એ સાચું છે પરંતુ એ વકહ્ત જતાં, કઈં નહીં તો છેલ્લાં બે હજાર વર્ષથી તો જન્મ આધારિત છે જ.
        દર્શિતભાઈ, ભૂપેન્દ્રસિંહભાઈએ હાલમાં જ મનુસ્મૃતિ વિશે એક લેખ લખ્યો જ છે. એમાં આગળ જતાં આ વાત વિગતે સ્પષ્ટ થશે. એના પરથી ખ્યાલ આવશે કે કેવા સામાજિક અત્યાચારોને કારણે આ જ્ઞાતિઓ બની છે અને આપણો દેશ ખોખલો કેમ થયો
        આર્થિક આધાર પર આરક્ષણ હોવું જોઇએ એ વાત સાથે હું સંપૂર્ણ સંમત છું પરંતુ, આ વિચાર બે હજાર વર્ષ પહેલાં અમલમાં મુકાયો હોત તો સારૂં થયું હોત. આજે પણ જે દેશમાં બ્રાહ્મણ પટાવાળો ‘પંડિતજી’ કહેવાતો હોય અને SC ઉપરીને ખાનગી ખૂણે “ઢે…” તરીકે ઓળખાવતા હોઈએ આપણી નજરે દેશ એટલે શું તે પણ છતું થઈ જાય છે.

        વળી જ્ઞાતિઓના અસ્તિત્વનો નહીં પણ એના આધારે આરક્ષણ હોય તો એનો વિરોધ કરીએ એ કેમ ચાલશે?
        ઉપરાષ્ટ્રવાદ કપોળ કલ્પના નથી, એટલું જ નહીં હવે એ માથું ઊંચકવા લાગ્યો છે.

        Like

  11. parmar mayank says:

    hu aem kehto nathi bhai ke te mahan che ,,mane pan khabar che temne pna par ketla daman gujarya che,,,hu fakt temne karela parivartan ni vat karu chu,,,

    koi pan manas 100% khoto nathi hoto bhai tanama raheli 10-25% valan j aene kharab banave che ok…

    tame jou hu aemni tarif nathi kari rahyo pan tamna amuk samajik kamo je apne karva joita ta ae aemne karya che aena mate kahu chu bhai..

    bhai bharat ma raja rammohanrai jo ekla kam karyu hot ke mare sati pratha ne dur karvi che to na that pan ek britishe aemne ae vat ma madad kari aetle thai,,,,

    hu kai tamaro viroth karva nathi betho pan amuk sari vato par dhyan apu chu….ane bhai mane koi j dukh nathi hu pan manu chu ke khulla mane vat karvi joie,,,,

    Like

    • ફરી પાછી તમે એજ વાત કરો છો, કે અંગ્રેજો ના હોત્ અતો કશું થયું જ ના હોત, રાજ રામમોહનરાયને પણ તેમણૅ મદદ કરી માટે સતિપ્રથા બંધ થઈ, ડૉ. આંબેડકરને પણ તેમણે મદદ કરી માટે દલિતો ઉપર આવ્યાં. તમને નથી લાગતું કે તમને અંગ્રેજો કાંઇક વધુ પડતા જ સારા લાગે છે?

      Like

      • parmar mayank says:

        bhai pehla to tame man mathi aem nikadine vichero ke ae loko ae apni par fakt julmo j nathi karya amuk sara kam pan karya che,,,,ane a vat mano ke na mano sachi j che bhai….

        kahu to chu aemne 90% apni par julmo karya pan 10% sara kam pan karya che ….jara aemna pratye no tamaro guso kadine vicharso….

        Like

        • મારા મનમાં તો એવું છે જ નહીકે તેમણે ફક્ત જુલમ જ કર્યો. પણ મારા મનમાં એમના માટે મહાનતાનો ભાવ પણ નથી. હા, તેમને આપણને આઝાદી આપીને સારું કામ કર્યું, આપણા દેશમાં રેલ્વેની સગવડ કરી, એવા ઘણા કામો કર્યા જે સારા હતાં અને સારા રહેશે. તેમના ગયા પછી પણ આપણે તેમણે કરેલા કામો જેવા કામ નથી કરી શક્યા. પણ જ્યાં માનવા જેવું હોય ત્યાં મનાય, બધે નહી. અને તમે કહો છો કે પિપકભાઈ એ જે કહ્યું તે જ તમે કહેવા માંગો છો તો તમારી અત્યાર સુધીની એકેય દલિલમાંથી એવો સુર સંભળાયો નથી એમ મેં કહ્યું. હશે, જો તમે પણ એ જ વાત માનતા હોવ તો ચર્ચાનો કોઈ અર્થ રહેતો જ નથી.

          Like

  12. parmar mayank says:

    me atla mate j aa vat kahi kem ke aa mari nathi bhai hu pan aa j samjava magu chu ,,bhai

    Like

  13. parmar mayank says:

    bhai hu aem pan kahu chu ke apne jem reservation no viroth karie che ae tam kem apne apni jatipratha no viroth nathi karta…

    jo apne bne no viroth sarkhi rite karie to bharat agad vathi jase….

    Like

    • વિરોધ જાતિપ્રથાનો પહેલા છે, અસ્પૃશ્યતાનો પહેલા છે, અને માટે જ અનામતનો પણ છે. ધ્યાનથી વાંચો ઉપર જ્યાં મેં અસ્પૃશ્યતાનો ઉલ્લેખ કર્યો છે તે. વિરોધ બધી વાતો નો છે. તમે ફક્ત તમને ગમતા મુદ્દાને પકડી લીધો હતો, પણ અમે એવું નહોતું કર્યું.

      Like

  14. parmar mayank says:

    dhaval bhai haji gana na man ma mansik ashprusyta to che j ne,,,,

    Like

  15. parmar mayank says:

    maro pan kehvano matlab fakt reservation par nato…me aem pan kahyu che ke loko na man haji pan mansik ashprusyta to che j ne,,,,

    Like

  16. parmar mayank says:

    to i m thanx ful to you…ok …to apne ae kam karvanu che have….jmg

    Like

  17. ધવલભાઇ, કૃપયા આપ મને સ્પોન્સર કરો તો હું પણ બ્રિટન આવી જઉં ! અથવા મારા વતી બે-ચાર બ્રિટિશર સજ્જનોને પાયલાગણ પાઠવી આપશો !! (ડાયર, કે કર્ઝન જેવા ઘણા સજ્જનોના નામ ઈતિહાસમાંથી આપને મળશે !!)

    શ્રી મયંકભાઇના વિચારોના સંપૂર્ણ આદર સાથે, તેઓના, હજુ પણ સમાજમાં ક્યાંક ભેદભાવ જેવી જઘન્ય ભાવના છે તે પ્રત્યેના રોષ કે ગુસ્સા સાથે સંપૂર્ણપણે સહમતી સાથે, માત્ર તેઓએ અંગ્રેજોને જ ભારતના તારણહાર (જે વૃતિ, તેઓના કહેવા મુજબ જ, ભાગ્યે ૧૦ % માં હશે, બાકીના ૯૦ % તો બદમાશો કે અત્યાચારીઓજ હતા) તરીકે ચિતર્યા તે સામે થોડાક જ ઐતિહાસિક સત્ય રજુ કરૂં છું. (મુળમાં આપણો દૃષ્ટિકોણ બહુ સાંકડો હોય છે, આપણે સ્વતંત્રપણે ભાગ્યે જ વિચારીએ છીએ, જે ખરેખર તો જરૂરી છે)

    * ડૉ. આંબેડકરજી “સરકારી શાળા”માં ભણતા ત્યારે તેમને વર્ગ બહાર બેસવું, અલગ માટલેથી પાણી પીવું જેવા કેટલાયે ભેદભાવનો સામનો કરવો પડ્યાનું નોંધાયું છે. અને ત્યારે “સરકાર” કોણ હતી ? (અંગ્રેજ)
    * ડૉ.આંબેડકર — આ ’આંબેડકર’ એ તેમના એક બ્રાહ્મણ શિક્ષક, મહાદેવ આંબેડકરની અટક હતી જે શાળામાં જમવાના સમયે પોતાના ભોજનમાંથી બાબાસાહેબને જમાડતા અને એ શિક્ષકની બાબાસાહેબ પર બહુ ઊંડી છાપ પડેલી જેમની અટક બાબાસાહેબે અપનાવી. (ડૉ. આંબેડકરની આત્મકથામાં લેખક ધનંજય કીર દ્વારા આ લખાયું છે)
    * ૧૯૦૩માં મુંબઇની ગર્વ. હા. સ્કુલના બાબાસાહેબ પ્રથમ અછૂત વિદ્યાર્થી હતા. અને ૧૯૦૭માં યુનિ.ઓફ બોમ્બેમાં દાખલ થઇ કોલેજનું શિક્ષણ લેનાર પ્રથમ અછૂત વિદ્યાર્થી હતા. (આ બોમ્બે અને તેનું શિક્ષણ કઇ સરકાર હસ્તક હશે ? (અંગ્રેજ !) અહીં વર્ષનાં આંકડા પર ખાસ ધ્યાન આપશો. અંગ્રેજોને અછૂતપ્રજાના ઉદ્ધારમાં રસ હોય તો તો તેની શિક્ષણસંસ્થાઓમાં આ સમયે હજારો અછૂત વિદ્યાર્થીઓ થવા જોઇતા હતા. !
    * કોલેજ અભ્યાસના ખર્ચ માટે બાબાસાહેબને સ્કોલરશિપ કો્ણે આપેલી ? વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડે !! જેઓએ ત્યાર પછીના, કોલંબિયા યુનિ.ના આગળના વિદેશ અભ્યાસ માટેનો ખર્ચ પણ પુરો પાડેલો.
    * ૧૯૨૦માં, મુંબઇમાં તેઓએ કોલ્હાપુરના મહારાજા શાહુજીની મદદથી ’મૂકનાયક’ નામનું અઠવાડીક શરૂ કર્યું જેમા હિન્દુ રૂઢીચૂસ્તાની વિરુદ્ધમાં અને સમાજસુધાર બાબતોના લેખ લખાતા. આ મહારાજા શાહુ પછીના મહારાજા શાહુ પાંચમા તો આંબેડકરજી સાથે ભોજન કરતા અને તેમના સમાજ સુધારના કાર્યને ભરપુર ટેકો આપતા, તેઓ આંબેડકરને ભવિષ્યના રાષ્ટ્રીય આગેવાન તરીકે ઓળખાવતા હતા. (આ મહારાજા શાહુ અંગ્રેજ તો ન હતા જ ! હિન્દુ જરૂર હતા !!)
    * આંબેડકરજી પ્રથમ કાનૂનમંત્રી બન્યા શું અંગ્રેજી હકુમતમાં ? ના ! સ્વતંત્ર ભારતની પ્રથમ સરકારમાં !!
    * તેમને ભારતની બંધારણ સભાના અધ્યક્ષ શું અંગ્રેજોએ બનાવેલા ? ના !!! તેઓ તેની અપ્રતિમ કાયદાકીય લાયકાત અને આવડતને કારણે બનેલા !
    * ૧૯૯૦માં ’ભારત રત્ન’નું ગૌરવ શું અંગ્રેજ સરકારે આપેલું ? ના, આ ભલું કરી અને ભાઠા ખાતા ભારતની સરકારે જ, ભારતીય નાગરીકો વતી, આપેલું !

    અહીં ખાસ તો આંબેડકરજીના થોડા દાખલાઓ માત્ર એ માટે આપ્યા કે પ્રતિભાવક મિત્રના મનમાં માત્ર એક તરફી વાત રૂઢ થઇ છે કે અંગ્રેજોને કારણે બાબાસાહેબ એ વેલએજ્યુકેટેડ અને મહાન બાબાસાહેબ બન્યા !! મારા મતે સ્વાર્થી, લોલુપ અને તુચ્છ અંગ્રેજો સામે એક મહાન વ્યક્તિત્વનું આ અપમાન છે.

    * જો ઉંચનીચના ભેદભાવ સામે લડાઇ અંગે જ હજુ કહેવું હોય તો છસો વર્ષ પહેલાં નરસિંહ મહેતાએ આ બાબતે ક્રાંતિનું બ્યુગલ ફૂંકેલું ! ત્યારે ન તો અંગ્રેજો હતા ન નરસિંહને અંગ્રેજોએ શિક્ષણ આપેલું !! કબીરજીએ પણ આ વાતે બહુ કાર્ય કરેલું (ખુદ આંબેડકરજીનું કુટુંબ કબીરપંથી જ હતું). અન્ય કેટલાએ ઉદા. પ્રસ્તુત કરી શકું જે પેલાં ૧૦ % અંગ્રેજો કરતા તો ક્યાંય વધી જાય તેમ છે ! ભારતીયોનો, આજના સમયનો પણ, અતિ આદરપાત્ર ગ્રંથ ’રામાયણ’ ની રચના ’વાલ્મિકી’એ કરેલી જે ભારતની ઋષિ પરંપરાના મહાન ઋષિ મનાયા. આ વાલ્મિકી કોણ હતા ? (એટલે કે કઇ જાતીના હશે ?) આજે પણ દલિત સમાજમાંએ નીચો ગણાતો એક સમાજ પોતાને ’વાલ્મિકી સમાજ’ તરીકે ઓળખાવે છે !! (આમાં કશો સંદર્ભ નથી પણ સમાજે તો સ્વિકાર્યું જ છે ને)

    નાત-જાત અને ઉંચ-નીચના ભેદભાવ માત્રને માત્ર ભારતમાં જ કે હિન્દુઓમાં જ, છે કે હતા એ વાત શું કોઇ ખાત્રીબંધ કહી શકે છે ? વિશ્વના કોઇપણ, અત્યારે બહુ સુધરેલ ગણાતા દેશ કે સમાજમાં પણ હતા અને છે !!! એ બાબતે બહુ લાંબી ચર્ચાઓ કરવી પડે. જો કે આથી કંઇ ભારતીય સમાજમાં રહેલી બદીઓનો બચાવ ન કરાય, તેને દુર કરવા સત્તત પ્રયત્નશીલ રહેવું જરૂરી છે. પરંતુ માત્ર ભારતીય સમાજમાં જ બધું વખોડવાપાત્ર છે અને અંગ્રેજો સહીતના અન્ય લોકો તો દેવના દીધેલા છે તેમ સમજાવવું એ માત્ર એક તરફી મંતવ્ય છે.

    રૂઢ માન્યતાઓથી કંઇક અલગ વિચારવું એ કોઇપણ સમાજની પ્રગતી માટેનું એક જરૂરી સોપાન છે. આ નાનો પ્રયત્ન એ માટે છે. કોઇને માઠું લગાડવા માટે કે વાંઝિયો વિરોધ કરવા માટે નહીં. એ ધ્યાને રાખીને જ વિચારવા વિનંતી. આભાર.

    Like

    • અશોકભાઈ, તમારી વાંચનયાત્રા ખરેખર ખુબ આગળ વધેલી છે. તમે ડૉ. આંબેડકર વિષે લખેલી ઘણી વાતો મને ખબર નહોતી. પણ ભાઈ, તમને લાગે છે કે અહીં તમારી દાળ ગળશે? આપને જ્યારે અન્ય દિશામાં વિચારવા તૈયાર જ ના હોઈએ, વિચારસરણીને એક જ દિશામાં કેન્દ્રિત કરીને સંકૂચિત દૃષ્ટિથી વિચારતા હોઈએ ત્યારે તમે કહેલી બધી વાતો ભેંસ આગળ ભાગવત સમાન લાગે છે. મને પણ થાય છે કે હું શું કામ આ બધી માથાફોડમાં પડ્યો છું? હજુ જુઓ મયંકભાઈ આટ-આટલું સાંભળ્યા અને જાણ્યા પછી એ મહાન અંગ્રેજોની આરતિ ઉતારવાનું બંધ નથી કરતાં. તેમના મગજમાં એક વાત ઘર કરી ગઈ છે કે ગાંધીડો સૌથી ખરાબ હતો, તેણે જ દેશની પત્તર ફાડી છે, અંગ્રેજો ના હોત તો હજુ આજે પણ આપણે જંગલોમાં રખડતા આદિવાસી જેવું જીવન ગાળતા હોત (કેમકે હજુ આજે પણ દુનિયાના ઘણા દેશોમાં અને અહીં બ્રિટનના ઘણા અંગ્રેજોના મનમાં ભારતની એવી જ છબી છે કે ભારત ભુખ્યા અને નિર્વસ્ત્ર લોકોનો દેશ છે), તે આપણા માઇબાપ છે, વગેરે વગેરે. તમે આપેલા તર્કો પછી પણ એમની કોમેન્ટ વાંચીને નથી લાગતું કે તમે તમારી સોનાની જાળ પાણીમાં નાંખી રહ્યા છો?

      Like

  18. parmar mayank says:

    Dear ashokbhai tamari vat mane khub j gami ane tamara example pan khub j gamya ae badal tamaro abhar ….bhai hu aem keto j nathi ke britisho aapna palanhar hata,,,bhai amuk vat par j hu dhyan deva magu chu,,,

    Dr.Ambedkar jyare school ma hata tyare aemne bahar besine bhanvu padtu hatu te teme kahyu ae cashi vat che bhai pan su britisho aemna mate achut jevu behave karta hata ke apna savarna bhaio j ….

    ane bhai tame kahyu ke temna teacher ae aemne surname api hati .,,,ha ae sachi vat che ,,kem ke ae kadi અસ્પૃશ્યતા rakhi j nati,,,

    aemana jeva sara manso pan hata…

    ane sir ek biji vat pan che j ne tame vicharo ke jo britisho ae raj na karyu hot to kadach apna desh ma pehla jevi વર્ણવ્યવસ્થા j hot ne,,, ae vat to manvi pade aem j che,,,bhale britisho aemna swarth nu kam karta pan aemna swarth ma j jane ajane apne kai k malyu che,,,

    ane bhai sahuji maharaj ne વર્ણવ્યવસ્થા pasand nti aetle aemne Dr. Ambedkar ne madad kari hati..

    ane rahi vat valmiki samaj ni to te samaj kai dalito ae to nathi banavyo te pan brahmano ni j pedash che ne bhaii,,,mane pan gani var dukh thay che ke je valmiki ae ramayan lakhyu aeno samaj j aje nicho gane che batha,,,

    bahi maro kehvana matlab ne bijo na samjo,,,hu kai britisher nathi,,hu pan indian j chu ne,,,,amuk vat ni apne biji nazar thi joi kem na sakie,,,,tamne pan khabar che ke parivsrtan hamesha lamba time nu hoy che ane tena sara pasa pan hoy che ane kharab pan,,,,

    asha rakhu chu ke maro jawab tamne game,,,jay hind

    Like

  19. જે ચર્ચા માંથી કશો સાર નીકળે તેમ ન હોય તે ચર્ચા પડતી મુકવી તે શું ડહાપણનું કાર્ય નથી?

    Like

Leave a reply to Dipak Dholakia જવાબ રદ કરો